HomeCRIMEભરૂચ : લૂંટારૂઓએ દિવાલમાં...

ભરૂચ : લૂંટારૂઓએ દિવાલમાં બખોલું પાડી ઘરમાં પ્રવેશી વૃદ્ધાને બંધક બનાવી ૨.૬૮ હજારની મત્તા ઉપર હાથફેરો કર્યો

ભરૂચ,
ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારના ઝાડેશ્વર ગામના નેતાજી ફળિયામાં મીઠી નીંદણ માણી રહેલી વૃદ્ધાના ઘરમાં વહેલી સવારે વાડા માંથી કાચી દીવાલમાં બખોલું પાડી ઘરમાં પ્રવેશી વૃદ્ધાને માર મારી બંધક બનાવી રૂપિયા ૨,૬૮,૦૦૦ ની રકમ ઉપર હાથ ફેરો કરી રફુ ચક્કર થઈ જતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે લૂંટારૂ ટોળકીનું પગરૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા.
ભરૂચના સી ડિવિઝન પોલીસ મથકમાં ઝાડેશ્વરના નેતાજી ફળિયામાં રહેતા ૭૦ વર્ષીય વૃદ્ધા રમીલાબેન જીતેન્દ્રભાઈ પટેલએ ફરિયાદ નોંધાવી છે.જેમાં તેણીએ આક્ષેપ કર્યા છે કે નવા ઘરની ટાઈલ્સ બેસાડવાનું કામ ચાલતું હોય અને ફરીયાદી રાત્રિના સમયે જમીને ઊંઘી ગયેલ અને રાત્રી બાદ મળસ્કે ત્રણેક વાગ્યાના સમયે ફરિયાદીના પગ ઉપર કોઈક વસ્તુ પડતા તે જાગી ગયેલ અને ખાટલામાં બેસી ગયા હતા અને તે દરમ્યાન જ ૨ અજાણ્યા ઇસમો પૈકી એક ઈસમે મહિલાના મોઢા ઉપર હાથ મૂકી દઈ મોઢા ઉપર મુકા મારી ઓઢણીથી બાંધી દીધેલ અને ફરિયાદીને પકડી રાખી હતી.બીજા ઈસમે વૃદ્ધાના હાથમાંથી સોનાની પહેરેલ બંગડીઓ અને કાનમાં પહેરેલ બુટીઓ કાઢી લીધેલ અને ફરિયાદીને કહેલ કે પૈસા ક્યાં છે? તેમ પૂછતા રૂપિયા નહીં હોવાનું જણાવતા એક ઈસમે ફરિયાદીને ખાટલામાં સુવડાવી દઈ ફરિયાદીની છાતી ઉપર બેસી ગયેલ અને બીજા ઈસમે ફરિયાદીના હાથ પગ ખાટલા સાથે બાંધી દઈને અન્ય એક ઈસમે તેની પાસેના ચપ્પુ વડે ફરિયાદીને હાથના કોણીના નીચેના ભાગે ઘા માર્યો હતો.જ્યારે બીજા ઈસમે તેના હાથ વડે ફરિયાદીના મોઢા ઉપર મુક્કા મારી કબાટમાંથી રોકડા રૂપિયા ૫૦૦૦ તથા ચાંદીના સિક્કા નંગ ૩ ઓશીકા નીચે મુકેલો મોબાઇલ લઈ રફુ ચક્કર થઈ ગયા હતા અને ફરિયાદીએ ગળાના ભાગે બાંધેલ કપડાં છોડીને ઘરના આગળના દરવાજે સામે રહેતા મલ્લિકાબેન પટેલને બૂમો પાડી ઉઠાડ્યા હતા અને સમગ્ર ઘટનાની જાણ કરી હતી.
મકાનની કાચી દીવાલમાં બખોલું પાડેલું જોઈ આજુબાજુના લોકો પણ ચોકી ઉઠ્યા હતા અને તાબડતોબ પોલીસને જાણ કરવામાં આવી હતી ઈજાગ્રસ્ત વૃદ્ધાને સારવાર અર્થે ખસેડ્યા બાદ પોલીસે તેની ફરિયાદ લીધી હતી.જેમાં લૂંટારૂ ટોળકીએ ૨,૬૮,૧૪૩ ની લુંટ કરી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે સ્થાનિક પોલીસ અને એલસીબી પોલીસે લૂંટારૂ ટોળકીનું પગેરૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા.

  • લૂંટારૂ ઈસમો જાણ ભેદુ હોવાની શંકા
    જે પ્રકારે લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે તે પ્રકારે ઘરના વાડામાં કાચી દિવાલ તોડવા માટે લોખંડની સીડી સ્થળ ઉપરથી મળી આવી છે અને દિવાલ તોડીને અંદર મકાનમાં પ્રવેશ્યા હતા ત્યાં પણ લાકડાની સીડી હતી.જેના કારણે સમગ્ર લુટની ઘટનાને અંજામ આપવામાં જાણ ભેદૂ હોય અથવા મકાનમાં મજૂરી કામ અર્થે આવ્યા હોય અને રેકી કરીને લૂંટને અંજામ આપ્યો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે.
  • ૭ મહિનાથી ઘરમાં ચાલી રહેલી કામગીરી માટે ૬ કોન્ટ્રાક્ટરો બદલ્યા
    પોતાના ઘરના કન્સ્ટ્રક્શનના કામકાજ માટે વારંવાર કોન્ટ્રાક્ટરોને બદલવા ઘણી વખત જોખમી સાબિત થતા હોય છે.આવી જ ઘટના ઝાડેશ્વર માંથી સામે આવી છે.જેમાં ઘરના કન્સ્ટ્રક્શનના કામકાજ માટે ૭ મહિનામાં ૬ કોન્ટ્રાક્ટરો બદલ્યા અને સંખ્યા બંધ મજૂરોએ આ મકાનમાં કામ કર્યું છે અને મજૂરો માંથી જ કોઈ જાણ ભેદુ લુંટારૂ હોય અને લૂંટને અંજામ આપ્યો હોવાનું અનુમાન લગાવી પોલીસે તપાસ શરૂ કરી છે.
  • લૂંટારૂ બે ઈસમો મોટર સાયકલ ઉપર આવ્યા હોવાના સીસીટીવી પોલીસે કબ્જે લીધા હોવાના અહેવાલો
    જે ઘરમાં વૃદ્ધ મહિલાને બંધક બનાવી લૂંટને અંજામ આપ્યો છે તેની આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવવાના પોલીસે પ્રયાસ કર્યા હતા.જેમાં મોટર સાયકલ ઉપર બે અજાણ્યા ઈસમો આવ્યા હોવાના સીસીટીવી સામે આવ્યા છે અને તેઓએ જ લૂંટને અંજામ આપ્યો હોવાની હકીકત સામે આવતા લૂંટને અંજામ આપ્યો હોય તે દિશામાં તપાસ શરૂ કરી હતી.

- Ads -

Most Popular

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

More from Author

દહેજની પ્રજ્ઞા ફાર્મા કંપનીમાં બ્લાસ્ટ થતાં ઓપરેટરનું મોત નિપજ્યું : ૩ ને ઈજા

ભરૂચ જીલ્લાના વાગરા તાલુકાના દહેજ -૨ માં આવેલી પ્રજ્ઞા ફાર્મા કંપનીમાં...

નર્મદા જિલ્લાની તાલુકા પંચાયતોના ભાજપના સદસ્યોનો પ્રશિક્ષણ વર્ગ 25 નવેમ્બરના રોજ પોઈચા ખાતે યોજાશે

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)નર્મદા જિલ્લાની તાલુકા પંચાયતોના ભાજપ ના સદસ્યો નો પ્રશિક્ષણ વર્ગ...

- Ads -

Read Now

સુરત જિલ્લામાં રૂ.૬.૩૮ કરોડના ખર્ચે ૨૫૧ આંગણવાડી કેન્દ્રોના અપગ્રેડેશન અને નવ નિર્મિત થયેલી ૧૭ આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ કરતાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા

બારડોલી સાંસદ પ્રભુભાઈ વસાવા અને ધારાસભ્ય ઇશ્વરભાઇ પરમારની પ્રેરક ઉપસ્થિતિ ૦-૬ વર્ષના બાળકો, સગર્ભા બહેનો, ધાત્રી માતાઓ અને પ્રાથમિક શિક્ષણ માટે મહત્વની કામગીરી આંગણવાડી કેન્દ્રોના માધ્યમથી કરવામાં આવી રહી છેઃ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા સુરતઃશનિવારઃ બારડોલી તાલુકાના રામપુરા ગામ ખાતે સુરત જિલ્લા પંચાયત દ્વારા નવ નિર્મિત થયેલી ૧૭ આંગણવાડી...

દહેજની પ્રજ્ઞા ફાર્મા કંપનીમાં બ્લાસ્ટ થતાં ઓપરેટરનું મોત નિપજ્યું : ૩ ને ઈજા

ભરૂચ જીલ્લાના વાગરા તાલુકાના દહેજ -૨ માં આવેલી પ્રજ્ઞા ફાર્મા કંપનીમાં સોલ્વન્ટ સાથે કે કેમિકલ્સની પ્રોસેસ વેળા પ્રેશર વધી જતાં રીએક્ટરમાં થયેલા ધડાકામાં ઓપરેટરનું મોત થયું છે.જ્યારે ૩ કામદારોને રીએક્શનથી ગેસ વછુટતા થયેલી ગૂંગળામણની અસર સાથે સારવાર હેઠળ ખસેડાયા છે. વાગરા તાલુકાના દહેજ - ૨ માં વર્ષ ૨૦૧૭...

શુક્લતીર્થમાં બીરાજતા શુકલેશ્વર મહાદેવ : કાર્તિ‌કી અગિયારસ થી પૂનમ સુધીનું અનેરૂં માહાત્મ્ય

ભરૂચ,પુરાણો માં પંચર્તીથ તરીકે ઓળખાતા ભરૂચ શહેર થી ૧૫ કિમી દૂર નર્મદા કિનારે આવેલા શુકલર્તીથ ગામે કાર્તિ‌કી અગિયારસ થી પૂનમ સુધી સૂક્ષ્મરૂપે શંકર અને વિષ્ણુ સ્વયંભૂ ઉપસ્થિત રહેતા હોવાની માન્યતા નાં આધારે સૈકાઓ થી ભગવાન શંકર અને વિષ્ણુ ના માનમાં અહીં પાંચ દિવસ ની જાત્રા ભરાઈ છે.શુકલર્તીથ...

નર્મદા જિલ્લાની તાલુકા પંચાયતોના ભાજપના સદસ્યોનો પ્રશિક્ષણ વર્ગ 25 નવેમ્બરના રોજ પોઈચા ખાતે યોજાશે

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)નર્મદા જિલ્લાની તાલુકા પંચાયતોના ભાજપ ના સદસ્યો નો પ્રશિક્ષણ વર્ગ 25 નવેમ્બર ના રોજ પોઈચા યોજાનાર છે.જેની વ્યવસ્થા ની બેઠક રાજપીપલા નર્મદા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાઈ હતી.એ પ્રશિક્ષણ વર્ગ ખૂબ સારી રીતે યોજાઈ અને આવનાર તાલુકા પંચાયતના સદસ્યોને કોઈ તકલીફ ન પડે તે બાબત ની...

ઝઘડિયાના ફુલવાડી ગામે આરોગ્ય કેન્દ્રના નવા બનેલ મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું

(જયશીલ પટેલ,ઝઘડિયા)ભરૂચ જીલ્લાના ઝઘડિયા સ્થિત જીઆઈડીસીની કંપનીઓ દ્વારા તેમના વિસ્તારમાં આવતા ગામોએ સીએસઆર ફંડ હેઠળ વિવિધ લોકોપયોગી કામો કરાતા હોય છે.જેમાં શૈક્ષણિક તેમજ આરોગ્ય વિષયક સેવાઓનો પણ સમાવેશ થાય છે. જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ફુલવાડી ગામે પેટા આરોગ્ય કેન્દ્ર જર્જરિત હાલતવાળું બની ગયેલ હોઈ તેને માટે નવા આયોજનની...

ભરૂચમાં વૃદ્ધાને બંધક બનાવી અઢી લાખની લૂંટ ચલાવનાર બે લુંટારૂઓ ગણતરીના કલાકોમાં એલસીબીના હાથે

ભરૂચ,ભરૂચના ઝાડેશ્વર ગામના નેતાજી ફળિયામાં વૃદ્ધાને લૂંટારોએ દિવાલમાં બખોલું પાડી ઘરમાં પ્રવેશી લૂંટને અંજામ આપ્યો હતો.જે ઘટનાનો ભેદ ભરૂચ એલસીબી પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાંખી બે લુંટારૂ ગુનેગારોને દબોચી લેતા ગુનામાં વપરાયેલી મોટર સાયકલ પણ ચોરીની હોવાનો ભાંડો ફૂટ્યો છે અને લૂંટમાં ગયેલો તમામ મુદ્દામાલ પોલીસે રિકવર...

જીતનગર ખાતે સરદાર પટેલ નર્મદા એનસીસી નેશનલ ટ્રેક કેમ્પનો પ્રારંભ

(જ્યોતિ જગતાપ,રાજપીપલા) સરદાર પટેલ નર્મદા ટ્રેકનું આયોજન એનસીસી ગ્રુપ વડોદરા દ્વારા આયોજિત રાષ્ટ્રીય સ્તરનો સાહસિક પ્રવૃત્તિનું આયોજન કરવામા આવ્યુ છે જેમા અલગ અલગ ૧૪ રાજ્યોના કેડેટ્સ નર્મદા જિલ્લામાં ૨૦ નવેમ્બર ૨૦૨૩ થી ૦૫ ડિસેમ્બર ૨૦૨૩ સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાશે. ભારતના લોખંડી પુરુષ અને ભારતરત્ન તરીકે...

ભરૂચમાં પત્ની અને સાસુ-સસરાથી ત્રસ્ત ૫૩ વર્ષીય આધેડે આખરી વિડીયો બનાવ્યા બાદ કર્યો આપઘાત

ભરૂચ,પત્ની અને સાસુ-સસરાના માનસિક ત્રાસથી ભરૂચમાં ૫૩ વર્ષીય રીક્ષા ચાલક પતિએ વિડીયો બનાવી આઠ માં માળેથી કૂદી આપઘાત કરી લીધો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.ભરૂચના જે.બી.મોદી પાર્ક નજીક આવેલી દેવદર્શન રેસિડેન્સીમાં પિતાએ લઈ આપેલા ફ્લેટમાં ૫૩ વર્ષીય અશ્વિનભાઈ અંબાલાલ ચૌહાણ પત્ની આશાબેન અને બે દીકરીઓ સાથે...

ઝઘડિયાના નવા માલજીપુરા ગામની મહિલાઓનો ખરાબ રસ્તાના કારણે હલ્લાબોલ

(જયશીલ પટેલ,ઝઘડીયા)ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડીથી નેત્રંગને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બન્યો હોવાથી આ માર્ગ પર આવેલા નવા માલજીપુરાની મહીલાઓ સહીત ગ્રામજનો રસ્તા ઉપર ઉતરી હલ્લાબોલ કરી વિરોધ નોંધાવ્યો હતો.આ રસ્તા ઉપર મોટાપાયે કવોરી ઉદ્યોગ આવેલો હોય રોજીંદા સેંકડો વાહનો અવરજવર કરતા હોવાના કારણે રસ્તો એટલો બિસ્માર...

૨૩ થી ૩૦ નવેમ્બર સુધી ભરૂચની ઝાડેશ્વર ચોકડીથી શુક્લતીર્થ સુધી જતો રસ્તો વન – વે જાહેર કરાયો

ભરૂચ, ભરૂચ જીલ્લામાં આવેલ શુક્લતીર્થ ગામે તા. ૨૩/૧૧/૨૦૨૩ થી તા. ૩૦/૧૧/૨૦૨૩ સુધી શુકલેશ્વર મહાદેવનો કાર્તિકી પૂનમનો ધાર્મિક મેળો ભરાનાર છે. આ સમય દરમ્યાન વધુમાં વધુ ટ્રાફિક ભરૂચ- ઝાડેશ્વર ચોકડીથી શુક્લતિર્થ રોડ ઉપર રહે છે. અને સામાન્ય દિવસોમાં પણ જાહેરજનતા આ જ રૂટનો ઉપયોગ અવર જવર માટે કરતા હોય...

ભરૂચ જગન્નાથ સેવા સમિતિ દ્વારા ઓરિસ્સા જતી ટ્રેનોને ભરૂચ – અંક્લેશ્વર સ્ટોપેજ આપવા સાંસદને રજુઆત

ભરૂચ જગન્નાથ સેવા સમિતિ દ્વારા રેલ્વે મંત્રીને સંબોધેલ આવેદનપત્ર સાંસદ મનસુખ વસાવાને પાઠવી ઓરિસ્સા જતી ટ્રેનોને ભરૂચ - અંક્લેશ્વર રેલ્વે સ્ટેશન ખાતે સ્ટોપેજ આપવાની માંગ કરવામાં આવી હતી.ઓરિસ્સા જતી ટ્રેનોને ભરૂચ - અંક્લેશ્વર રેલ્વે સ્ટેશન ખાતે સ્ટોપેજ આપવા માટે ભરૂચ જગન્નાથ સેવા સમિતિ દ્વારા માંગ કરવામાં આવી હતી.ઓડિયા...

ઝઘડિયાના ખડોલી નજીક ઉભેલા ટ્રક ચાલકનું અન્ય હાઈવા ટ્રકે અડફેટમાં લેતા સ્થળ પરજ કરુણ મોત

(જયશીલ પટેલ,ઝઘડીયા)ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક ખડોલી ગામ પાસે રોડ નજીક ઉભી રાખેલ ટ્રક નજીક ટ્રક ચાલક ઉભો હતો.ત્યારે રોડ પર પુરઝડપે આવતી એક હાઈવા ટ્રકે તેને અડફેટમાં લેતા આ ટ્રક ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.આ અંગે રાજપારડી પોલીસ માંથી મળતી વિગતો મુજબ...
error: Content is protected !!