HomeCRIMEભરૂચમાં વૃદ્ધાને બંધક બનાવી...

ભરૂચમાં વૃદ્ધાને બંધક બનાવી અઢી લાખની લૂંટ ચલાવનાર બે લુંટારૂઓ ગણતરીના કલાકોમાં એલસીબીના હાથે

ભરૂચ,
ભરૂચના ઝાડેશ્વર ગામના નેતાજી ફળિયામાં વૃદ્ધાને લૂંટારોએ દિવાલમાં બખોલું પાડી ઘરમાં પ્રવેશી લૂંટને અંજામ આપ્યો હતો.જે ઘટનાનો ભેદ ભરૂચ એલસીબી પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાંખી બે લુંટારૂ ગુનેગારોને દબોચી લેતા ગુનામાં વપરાયેલી મોટર સાયકલ પણ ચોરીની હોવાનો ભાંડો ફૂટ્યો છે અને લૂંટમાં ગયેલો તમામ મુદ્દામાલ પોલીસે રિકવર કરવામાં સફળતા મેળવી છે.
ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલા ઝાડેશ્વર ગામના નેતાજી ફળિયા વિસ્તારમાં રહેતા રમીલાબેન પટેલના ઘરનું કન્સ્ટ્રક્શનનું કામકાજ ચાલી રહ્યું હતું અને તે દરમ્યાન મજૂરોની અવરજવર રહી હતી જેમાંના જ એક મજૂરે સમગ્ર લૂંટનો પ્લાન ઘડયો હોય તેઓ ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે.લૂંટને અંજામ આપનારા રીઢા ગુનેગારનાઓએ સૌ પ્રથમ તો ઘરની રેકી કરી વૃદ્ધાનો એકલતાનો લાભ લઇ મકાનની દીવાલમાં બખોલું પાડી ઘરમાં પ્રવેશી મહિલાને ખાટલા સાથે બાંધી તેણીને માર મારી લૂંટને અંજામ આપ્યો હતો સમગ્ર ઘટનામાં ગુનો દાખલ થતા ભરૂચ એલસીબી પોલીસે સમગ્ર ઘટનાની જીણવટ ભરી તપાસ શરૂ કરી હતી અને મકાનમાં ચાલી રહેલી કામગીરી દરમ્યાન જેટલા પણ કન્સ્ટ્રક્શનના કોન્ટ્રાક્ટરો હતા તેમના મજૂરો અને અન્યોની માહિતી મેળવવાની શરૂઆત કરી હતી અને ઘટના સ્થળના સીસીટીવીમાં પણ બે લૂંટારો કેદ થયા હોવાના કારણે પોલીસને ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી.
લૂંટના ગુનામાં વપરાયેલી મોટર સાયકલ ભરૂચ શહેરના ભોલાવ રોડ બ્રિજ નીચે સર્કલ પાસેથી બંને લૂંટારૂ પસાર થતા હોવાની માહિતી મળતા જ ભરૂચ એલસીબી પોલીસની ટીમોએ વોચ ગોઠવી હતી અને મોટર સાયકલ ઉપર રહેલા બંને સગા ભાઈ હોવાનું ફલિત થયું હતું અને મોટર સાયકલ શક્તિનાથ નજીકની એક સોસાયટી માંથી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.મોટર સાયકલ ચાલકે પોતાનું નામ અજય બચુ મેડા અને પાછળ સવાર ઉમેશ બચુ મેડા હોવાનું ઓળખ થઈ હતી અને કડક પૂછપરછ કરતા બંને શક્તિનાથ રેલ્વે ગરનાળા પાસે આવેલ પાણીની ટાંકી નજીક ઝુપડપટ્ટીમાં રહેતા હોવાનું ફલિત થયું હતું અને મૂળ રહેવાસી દાહોદના હોવાનું સામે આવતા કડક પૂછ પરછ કરતા તેઓ ભાંગી પડ્યા હતા અને ઝાડેશ્વર ગામમાં લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોવાનો ભાંડો ફૂટ્યો હતો.

  • લૂંટને અંજામ આપતા પહેલા શાલીમાર નજીક કપડાની દુકાનને નિશાન બનાવી હતી
    ઝાડેશ્વર ગામમાં થયેલી લુટનો ભેદ ઉકેલી બે આરોપીઓની ધરપકડ કરતા તેમણે લૂંટને અંજામ આપતા પહેલા ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ શાલીમાર નજીકની એક કપડાની અને અન્ય એક કપડાની એમ બે દુકાનોને નિશાન બનાવી રોકડા રૂપિયાની ચોરી પણ કરી હોવાની ચોંકાવનારી કબુલાત કરતા રોકડા રૂપિયા પણ કબ્જે કરવામાં આવ્યા હતા અને લૂંટારૂઓએ હજુ અન્ય કેટલાક ગુનાઓને અંજામ આપ્યો છે તે દિશામાં પણ તપાસ શરૂ કરાય છે.
  • ઝડપાયેલા લુંટારૂઓ બંને સગા ભાઈ પાસેથી કબ્જે કરાયેલ મુદ્દામાલ
    હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ એક ૭૦ હજાર,રોકડા રૂપિયા ૧,૩૬૨,લૂંટમાં ગયેલ ૧ સેમસંગ મોબાઈલ ૧૦ હજાર, સોનાની કાનની ૨ કડીઓ કિંમત રૂપિયા ૨૭,૮૮૫,ચાંદીના ૩ સિક્કા કિંમત રૂપિયા ૨,૧૭૮, સીટીઝન કંપનીનું ૧ ઘડિયાળ કિંમત રૂપિયા ૧,૦૦૦, બગસરાના કાનના ૬ જુમખા કિંમત રૂપિયા ૩૦૦, પિત્તળ જેવા ધાતુની ૧ વાટકી કિંમત રૂપિયા ૧૦૦,ગણપતિની ૧ મૂર્તિ કિંમત રૂપિયા ૧,૦૦૦, કુબેર લક્ષ્મી ૧ યંત્ર કિંમત રૂપિયા ૫૦૦,૧ લેડીઝ પર્સ કિંમત રૂપિયા ૧૦૦ અને ૨ ચપ્પા કિંમત રૂપિયા ૧૦૦ મળી અંદાજે ૧,૧૫,૨૭૫ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

- Ads -

Most Popular

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

More from Author

દહેજની પ્રજ્ઞા ફાર્મા કંપનીમાં બ્લાસ્ટ થતાં ઓપરેટરનું મોત નિપજ્યું : ૩ ને ઈજા

ભરૂચ જીલ્લાના વાગરા તાલુકાના દહેજ -૨ માં આવેલી પ્રજ્ઞા ફાર્મા કંપનીમાં...

નર્મદા જિલ્લાની તાલુકા પંચાયતોના ભાજપના સદસ્યોનો પ્રશિક્ષણ વર્ગ 25 નવેમ્બરના રોજ પોઈચા ખાતે યોજાશે

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)નર્મદા જિલ્લાની તાલુકા પંચાયતોના ભાજપ ના સદસ્યો નો પ્રશિક્ષણ વર્ગ...

- Ads -

Read Now

સુરત જિલ્લામાં રૂ.૬.૩૮ કરોડના ખર્ચે ૨૫૧ આંગણવાડી કેન્દ્રોના અપગ્રેડેશન અને નવ નિર્મિત થયેલી ૧૭ આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ કરતાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા

બારડોલી સાંસદ પ્રભુભાઈ વસાવા અને ધારાસભ્ય ઇશ્વરભાઇ પરમારની પ્રેરક ઉપસ્થિતિ ૦-૬ વર્ષના બાળકો, સગર્ભા બહેનો, ધાત્રી માતાઓ અને પ્રાથમિક શિક્ષણ માટે મહત્વની કામગીરી આંગણવાડી કેન્દ્રોના માધ્યમથી કરવામાં આવી રહી છેઃ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા સુરતઃશનિવારઃ બારડોલી તાલુકાના રામપુરા ગામ ખાતે સુરત જિલ્લા પંચાયત દ્વારા નવ નિર્મિત થયેલી ૧૭ આંગણવાડી...

દહેજની પ્રજ્ઞા ફાર્મા કંપનીમાં બ્લાસ્ટ થતાં ઓપરેટરનું મોત નિપજ્યું : ૩ ને ઈજા

ભરૂચ જીલ્લાના વાગરા તાલુકાના દહેજ -૨ માં આવેલી પ્રજ્ઞા ફાર્મા કંપનીમાં સોલ્વન્ટ સાથે કે કેમિકલ્સની પ્રોસેસ વેળા પ્રેશર વધી જતાં રીએક્ટરમાં થયેલા ધડાકામાં ઓપરેટરનું મોત થયું છે.જ્યારે ૩ કામદારોને રીએક્શનથી ગેસ વછુટતા થયેલી ગૂંગળામણની અસર સાથે સારવાર હેઠળ ખસેડાયા છે. વાગરા તાલુકાના દહેજ - ૨ માં વર્ષ ૨૦૧૭...

શુક્લતીર્થમાં બીરાજતા શુકલેશ્વર મહાદેવ : કાર્તિ‌કી અગિયારસ થી પૂનમ સુધીનું અનેરૂં માહાત્મ્ય

ભરૂચ,પુરાણો માં પંચર્તીથ તરીકે ઓળખાતા ભરૂચ શહેર થી ૧૫ કિમી દૂર નર્મદા કિનારે આવેલા શુકલર્તીથ ગામે કાર્તિ‌કી અગિયારસ થી પૂનમ સુધી સૂક્ષ્મરૂપે શંકર અને વિષ્ણુ સ્વયંભૂ ઉપસ્થિત રહેતા હોવાની માન્યતા નાં આધારે સૈકાઓ થી ભગવાન શંકર અને વિષ્ણુ ના માનમાં અહીં પાંચ દિવસ ની જાત્રા ભરાઈ છે.શુકલર્તીથ...

નર્મદા જિલ્લાની તાલુકા પંચાયતોના ભાજપના સદસ્યોનો પ્રશિક્ષણ વર્ગ 25 નવેમ્બરના રોજ પોઈચા ખાતે યોજાશે

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)નર્મદા જિલ્લાની તાલુકા પંચાયતોના ભાજપ ના સદસ્યો નો પ્રશિક્ષણ વર્ગ 25 નવેમ્બર ના રોજ પોઈચા યોજાનાર છે.જેની વ્યવસ્થા ની બેઠક રાજપીપલા નર્મદા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાઈ હતી.એ પ્રશિક્ષણ વર્ગ ખૂબ સારી રીતે યોજાઈ અને આવનાર તાલુકા પંચાયતના સદસ્યોને કોઈ તકલીફ ન પડે તે બાબત ની...

ઝઘડિયાના ફુલવાડી ગામે આરોગ્ય કેન્દ્રના નવા બનેલ મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું

(જયશીલ પટેલ,ઝઘડિયા)ભરૂચ જીલ્લાના ઝઘડિયા સ્થિત જીઆઈડીસીની કંપનીઓ દ્વારા તેમના વિસ્તારમાં આવતા ગામોએ સીએસઆર ફંડ હેઠળ વિવિધ લોકોપયોગી કામો કરાતા હોય છે.જેમાં શૈક્ષણિક તેમજ આરોગ્ય વિષયક સેવાઓનો પણ સમાવેશ થાય છે. જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ફુલવાડી ગામે પેટા આરોગ્ય કેન્દ્ર જર્જરિત હાલતવાળું બની ગયેલ હોઈ તેને માટે નવા આયોજનની...

જીતનગર ખાતે સરદાર પટેલ નર્મદા એનસીસી નેશનલ ટ્રેક કેમ્પનો પ્રારંભ

(જ્યોતિ જગતાપ,રાજપીપલા) સરદાર પટેલ નર્મદા ટ્રેકનું આયોજન એનસીસી ગ્રુપ વડોદરા દ્વારા આયોજિત રાષ્ટ્રીય સ્તરનો સાહસિક પ્રવૃત્તિનું આયોજન કરવામા આવ્યુ છે જેમા અલગ અલગ ૧૪ રાજ્યોના કેડેટ્સ નર્મદા જિલ્લામાં ૨૦ નવેમ્બર ૨૦૨૩ થી ૦૫ ડિસેમ્બર ૨૦૨૩ સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાશે. ભારતના લોખંડી પુરુષ અને ભારતરત્ન તરીકે...

ભરૂચમાં પત્ની અને સાસુ-સસરાથી ત્રસ્ત ૫૩ વર્ષીય આધેડે આખરી વિડીયો બનાવ્યા બાદ કર્યો આપઘાત

ભરૂચ,પત્ની અને સાસુ-સસરાના માનસિક ત્રાસથી ભરૂચમાં ૫૩ વર્ષીય રીક્ષા ચાલક પતિએ વિડીયો બનાવી આઠ માં માળેથી કૂદી આપઘાત કરી લીધો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.ભરૂચના જે.બી.મોદી પાર્ક નજીક આવેલી દેવદર્શન રેસિડેન્સીમાં પિતાએ લઈ આપેલા ફ્લેટમાં ૫૩ વર્ષીય અશ્વિનભાઈ અંબાલાલ ચૌહાણ પત્ની આશાબેન અને બે દીકરીઓ સાથે...

ઝઘડિયાના નવા માલજીપુરા ગામની મહિલાઓનો ખરાબ રસ્તાના કારણે હલ્લાબોલ

(જયશીલ પટેલ,ઝઘડીયા)ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડીથી નેત્રંગને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બન્યો હોવાથી આ માર્ગ પર આવેલા નવા માલજીપુરાની મહીલાઓ સહીત ગ્રામજનો રસ્તા ઉપર ઉતરી હલ્લાબોલ કરી વિરોધ નોંધાવ્યો હતો.આ રસ્તા ઉપર મોટાપાયે કવોરી ઉદ્યોગ આવેલો હોય રોજીંદા સેંકડો વાહનો અવરજવર કરતા હોવાના કારણે રસ્તો એટલો બિસ્માર...

૨૩ થી ૩૦ નવેમ્બર સુધી ભરૂચની ઝાડેશ્વર ચોકડીથી શુક્લતીર્થ સુધી જતો રસ્તો વન – વે જાહેર કરાયો

ભરૂચ, ભરૂચ જીલ્લામાં આવેલ શુક્લતીર્થ ગામે તા. ૨૩/૧૧/૨૦૨૩ થી તા. ૩૦/૧૧/૨૦૨૩ સુધી શુકલેશ્વર મહાદેવનો કાર્તિકી પૂનમનો ધાર્મિક મેળો ભરાનાર છે. આ સમય દરમ્યાન વધુમાં વધુ ટ્રાફિક ભરૂચ- ઝાડેશ્વર ચોકડીથી શુક્લતિર્થ રોડ ઉપર રહે છે. અને સામાન્ય દિવસોમાં પણ જાહેરજનતા આ જ રૂટનો ઉપયોગ અવર જવર માટે કરતા હોય...

ભરૂચ જગન્નાથ સેવા સમિતિ દ્વારા ઓરિસ્સા જતી ટ્રેનોને ભરૂચ – અંક્લેશ્વર સ્ટોપેજ આપવા સાંસદને રજુઆત

ભરૂચ જગન્નાથ સેવા સમિતિ દ્વારા રેલ્વે મંત્રીને સંબોધેલ આવેદનપત્ર સાંસદ મનસુખ વસાવાને પાઠવી ઓરિસ્સા જતી ટ્રેનોને ભરૂચ - અંક્લેશ્વર રેલ્વે સ્ટેશન ખાતે સ્ટોપેજ આપવાની માંગ કરવામાં આવી હતી.ઓરિસ્સા જતી ટ્રેનોને ભરૂચ - અંક્લેશ્વર રેલ્વે સ્ટેશન ખાતે સ્ટોપેજ આપવા માટે ભરૂચ જગન્નાથ સેવા સમિતિ દ્વારા માંગ કરવામાં આવી હતી.ઓડિયા...

ઝઘડિયાના ખડોલી નજીક ઉભેલા ટ્રક ચાલકનું અન્ય હાઈવા ટ્રકે અડફેટમાં લેતા સ્થળ પરજ કરુણ મોત

(જયશીલ પટેલ,ઝઘડીયા)ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક ખડોલી ગામ પાસે રોડ નજીક ઉભી રાખેલ ટ્રક નજીક ટ્રક ચાલક ઉભો હતો.ત્યારે રોડ પર પુરઝડપે આવતી એક હાઈવા ટ્રકે તેને અડફેટમાં લેતા આ ટ્રક ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.આ અંગે રાજપારડી પોલીસ માંથી મળતી વિગતો મુજબ...

રાજપીપલા ખાતે આવેલ પ્રિન્સિપલ ડીસ્ટ્રીક એન્ડ સેશન્સ કોર્ટે ચૈતર વસાવાના આગોતરા જામીન ફગાવ્યા

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)રાજપીપલા ખાતે આવેલ પ્રિન્સિપલ ડીસ્ટ્રીક એન્ડ સેશન્સ કોર્ટે ચૈતર વસાવાના આગોતરા જામીન ફગાવી દેવાતા ચૈતર વસાવાની મુશ્કેલીઓ વધારો થયો છે.છેલ્લા 15 દિવસથી ચૈતર વસાવા હાલ ભૂગર્ભમાં છે.ચૈતર વસાવાની દિવાળી તો બગડીહતી હવે દેવ દિવાળી પણ બગડશે એવુ લાગે છે.આજે રાજપીપલા કોર્ટમાં સરકાર તરફે સરકારી વકીલ જે...
error: Content is protected !!