(જ્યોતિ જગતાપ,રાજપીપળા)
આજે નર્મદાના વડામથક રાજપીપળા જલારામ મંદિરે ૨૨૪ મી જન્મ જયંતિ ભારે શ્રદ્ધા અને ભક્તિભાવ પૂર્વક ઉજવાઈ હતી.
રાજપીપળા ખાતે જલારામ બાપાનું એક માત્ર મન્દિર આવેલું હોવાથી આજે જલારામ જન્મ જયંતિએ મોટી સંખ્યામાં ભક્તો જલારામ બાપાના દર્શને ઉમટ્યા હતા.સવારે જલારામ બાપાની પૂજા,આરતી કરવામાં આવી હતી.આરતીમાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતાં.ત્યાર બાદ જલારામ બાપાના મંત્ર સમાન ટુકડો ત્યાં હરિ ઢુકડો સૂત્રને સાર્થક કરતા આરતીબાદ બુંદી, ગાંઠિયા, ખાજાપુરીના ૨૦૦૦ પેકેટનું વિતરણ ભક્તોને વિતરણ કરવામાં આવ્યું હતું.અહીં ભક્તોની બાધા આખડી માનતા પુરી થતી હોવાની માન્યતા છે.
રાજપીપળા ખાતે શ્રદ્ધા અને ભક્તિ ભાવ પૂર્વક જલારામ મંદિરે ૨૨૪ મી જન્મ જયંતી ઉજવાઈ
- Ads -