(જયશીલ પટેલ,ઝઘડિયા)
જલારામ જયંતિ નિમિત્તે મંદિરોમાં સવારેથી વિશેષ પૂજા અર્ચના અને બપોરે પાલખી યાત્રા નીકળી હતી.જેમાં હજારોની સંખ્યામાં ભક્તોએ દર્શનનો લ્હાવો લીધો હતો.
રામ ભક્ત જલારામ બાપાના ૨૨૪ માં પ્રાગટ્યોત્સવ ઝઘડિયા તાલુકામાં દબદબાભેર ઉજવણી કરાઈ હતી. ઝઘડિયાના હનુમાનજી મંદિર સ્થિત સવારે થી જલારામ બાપાની વિશેષ પૂજા અર્ચના અને બપોરે પાલખી યાત્રા નીકળી હતી.હજારોની સંખ્યામાં ભક્તોએ દર્શન નો લ્હાવો લીધો હતો.ભૂખ્યાને ભોજનનો મંત્ર આપનાર રામ ભક્ત અને વીરપુરના સંત જલારામ બાપા નો આજે ૨૨૪ માં પ્રાગટ્ય દિન છે.ઝઘડિયા તાલુકાના ઝઘડિયા રાજપારડી ઉમલ્લા પાણેથા ભાલોદ અસા ગામમાં જલારામ જયંતી નિમિત્તે વિવિધ કાર્યક્રમોના આયોજનો તથા ભંડારાઓ યોજાયા હતા.જલારામ બાપાની જયંતિ નિમિતે ઝઘડિયા સ્થિત હનુમાનજી મંદિર મંદિર ખાતે સવાર થી જ ભક્તોની ભીડ ઉમટી હતી.સવારે નિત્ય આરતી, મહિલા મંડળ દ્વારા ભજન કીર્તન નું આયોજન કરાયું હતું. તો બાપાની પ્રસાદી રૂપે ભંડારો યોજવામાં આવ્યો હતો.જેનો મોટી સંખ્યામાં ભક્તોએ લ્હાવો લીધો હતો.જલારામ બાપાની પાલખી યાત્રા સ્વરૂપે પાદુકાનો વરઘોડો શોભાયાત્રા સ્વરૂપે ઝઘડિયાના હનુમાન ફળિયા, કડવા ફળિયા,થાણા ફળીયા, બજાર ટાવરરોડ ખાતે કાઢવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યા ભક્તો જોડાયા હતા.
રામ ભક્ત જલારામ બાપાના ૨૨૪ માં પ્રાગટ્યોત્સવની દબદબાભેર ઉજવણી
- Ads -